
જામીનગીરી લેવાનુ ફરમાવવાની સતા
"(૧) કોઇ વ્યકિતની ધરપકડ માટે વોરંટ કાઢનારી કોટૅ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર તે વોરંટ ઉપર શેરો કરીને એવુ ફરમાવી શકશે કે જો તે વ્યકિત નિર્દિષ્ટ સમયે અને ત્યાર પછી કોટૅ અન્યથા ન ફરમાવે ત્યાં સુધી તે કોટૅ સમક્ષ હાજર રહેવા માટે પૂરતા જામીન સાથે મુચરકો આપે તો જે અધિકારીને વોરંટ બજાવવા આપ્યુ હોય તે એવી જામીનગીરી લઇને તે વ્યકિતને કસ્ટડીમાંથી છોડી શકશે
(૨) તે શેરોમાં નીચેની બાબતો જણાવવી જોઇશે
(ક) જામીનોની સંખ્યા (ખ) જામીનો અને જેની ધરપકડ માટે વોરંટ કાઢવામાં આવ્યુ હોય તે વ્યકિત અનુક્રમે જે રકમ ભરવા માટે જવાબદાર થવાના હોય તે રક અને (ગ) કોટૅ સમક્ષ તેણે હાજર થવાનો સમય
(૩) જયારે પણ આ કલમ મુજબ જામીનગીરી લેવામાં આવે ત્યારે જે અધિકારીને વોરંટ બજાવવા આપ્યુ હોય તેણે મુચરકો કોટૅને મોકલી આપવો જોઇએ"
Copyright©2023 - HelpLaw